ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૯
ગ્રંથરથ યાત્રાના ૯મ દિવસે યાત્રા ઝાંસીની રાણી સ્કુલથી નીકળી શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય, સે ૩૦ પહોંચી હતી જ્યાં પ્રતાપસિંહજી સ્કુલના વિદ્યાર્થીઓએ પમ્પરાગત બેન્ડ સાથે સ્વાગત કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીના શાસ્ત્રીય નૃત્ય સાથે પ્રાર્થનાથી શુભ શરૂઆત કરી હતી. આ પ્રસંગે સાહિત્યકાર શ્રી શુક્લા એ વિદ્યાર્થીઓને તેમના વક્તવ્યથી સાહિત્યથી માહિતગાર કાર્ય હતા અને સાહિત્યના મહત્વની સમજ આપી હતી. આ સાથે શહેરની માઉન્ટ કાર્મેલ શાળા ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, લગ્નગીત, વાર્તા લેખન યોજાઈ હતી. શહેરના વિવિધ સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
Images & Video Sources by Gandhinagar Portal : Circle of Information